દુબઈઃ ભારત અને માલદીવ્સ વચ્ચે શ્રેણીબદ્ધ લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. Zee Media દ્વારા દુબઈમાં આયોજિત Global Summitમાં માલદીવ્સના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ જમીલ અહેમદે 'India & Maldives - Emergence of Indo-Pacific' વિષય પર આયોજિત પરિચર્ચામાં જણાવ્યું કે, "માલદીવ્સના વિકાસમાં ભારત બહોળી ભૂમિકા ભજવી રહ્યું છે. માલદીવ્સના પ્રવાસન ઉદ્યોગને ભારત તરફથી ઘણું જ પ્રોત્સાહન મળી રહ્યું છે. 2004માં આવેલુ સુનામી પછી ભારતે જે આર્થિક મદદ કરી હતી તે ઘણી જ ઉપયોગી સાબિત થઈ હતી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'India & Maldives - Emergence of Indo-Pacific' વિષય પર આયોજિત આ પરિચર્ચામાં ભારતના પૂર્વ રાજદૂત ભસ્વતી મુખરજી, પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ, માલદીવ્સના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ જમીલ અહેમદ, પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર જી. પાર્થસાર્થીએ ભાગ લીધો હતો. 


ચર્ચા દરમિયાન ભસ્વતી મુખરજીએ જણાવ્યું કે, "ભારતનું વલણ ચીન જેટલું અસરકારક નથી. ચીન નાના દેશોનાં દેવામાં મદદ કરીને ભારતને ચારે તરફથી ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. માલદીવ્સ જેવા રાષ્ટ્રમાં ભારતે ટકાઉ વિકાસનાં પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. આ બાબત આફ્રિકાના દેશોના વલણ પરથી સમજી શકાય છે, જેઓ ચીન અને ભારત બંને સાથે જુદું-જુદું વલણ અપનાવે છે."


આ જ વિચારોને સમર્થન આપતાં ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ સોલીહના શપથ સમારોહમાં દોડી જઈને વડા પ્રધાન મોદીએ પહેલ કરી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે ભારત આવીને 'પ્રથમ પગલું' આગળ વધાર્યું છે. લોકોથી લોકોનાં સંપર્ક માટે બંને દેશ વચ્ચેના વિઝા નિયમોમાં પણ ભારતે ફેરફાર કર્યા છે. જેની સામે ચીન પોતાનાં સમુદ્રી હીતોને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. 


WION Global Summit: દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન


ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન
આ અગાઉ WIONની Global Summitનું ઉદ્ઘાટન કરતા મુખ્ય અતિથિ અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહ્યાને જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે. 


શેખ નહયાન સંયુક્ત આરબ અમીરત(યુએઈ) સરકારના કેબિનેટના મહત્વના સભ્ય અને ટોલેરન્સ મંત્રી છે. તેની સાથે જ શેખ નહયાને જણાવ્યું કે, આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 


હિન્દુ મંદિર, અપરાધીઓનું ભારત પ્રત્યાર્પણ દર્શાવે છે કે UAE સાથે આપણા સંબંધ ખાસ છેઃ નવદીપ સૂરી


UAE અને ભારત વચ્ચે વિશેષ સંબંધો છેઃ નવદીપ સૂરી
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારતના રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, અહીં બની રહેલું હિન્દુ મંદિર અને અપરાધીઓને પકડીને ભારતને સોંપવાની ઘટના દર્શાવે છે કે, ભારત અને યુએઈના સંબંધો અત્યંત ખાસ છે. તેમણે જણાવ્યું કે, બે ઓક્ટોબરના રોજ બુર્જ ખલીફા પર મહાત્મા ગાંધીની તસવીર બનાવવી બંને દેશો વચ્ચેનાં વિશેષ સંબંધોને દર્શાવે છે. Zee Mediaની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની Global Summitમાં તેમણે આમ જણાવ્યું હતું. 


ભારત માટે યુએઈનું મહત્વ દર્શાવતા નવદીપ સૂરીએ જણાવ્યું કે, ભારત-યુએઈ વચ્ચેનો દ્વીપક્ષિય વેપાર ગયા વર્ષે 52 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. અમેરિકા પછી યુએઈ ભારતનો બીજો સૌથી મોટો નિકાસકાર ભાગીદાર દેશ છે. યુએઈમાં 33 લાખ ભારતીય રહે છે અને ભારતથી બહાર ભારતીયોની આ સૌથી મોટી વસતી છે. દુબઈ અંગે તેમણે જણાવ્યું કે, "એક પણ મોટો મધ્યપૂર્વનો દેશ બાકી નહીં હોય જેની કોઈ ને કોઈ ઓફિસ દુબઈમાં ન હોય." 


WION CONCLAVE: દક્ષિણ એશિયાની તાકાત અને સંભાવનાઓ પર દિગ્ગજો રજુ કરશે પોતાનો અભિપ્રાય


દક્ષિણ એશિયાની શક્તિ, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Poser of South Asia) વિષય પર WION દ્વારા 20 ફેબ્રુઆરીથી દુબઈમાં એક Global Summitનું આયોજન કરાયું છે. શેખ નહયાને આ આયોજન માટે Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છો. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...