નવી દિલ્હી:  ZEE NEWS WORLD EXCLUSIVE માં એક મોટા સમાચાર આવ્યાં છે. આ ખબર ભારત-ચીન તણાવ પર પરમાણુવાળા સમાચાર છે. હકીકતમાં ભારતની પરમાણુ રણનીતિનું ફોકસ હવે પાકિસ્તાન પરથી હટીને ચીન પર શિફ્ટ થઈ રહ્યું છે. અમેરિકાના એક રિપોર્ટથી આ મોટો ખુલાસો થયો છે. 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ'માં પ્રકાશિત એક સ્ટડીમાં દાવો છે કે ડોકલામ બાદ ભારતની પરમાણુ નીતિમાં ફેરફાર થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના પરમાણુ સુરક્ષા રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ચીનની રાજધઆની બેઈજિંગ પણ ભારતીય પરમાણુ મિસાઈલોની હદમાં આવી ગઈ છે. રિપોર્ટ મુજબ ભારત વર્તમાનમાં જમીન-હવા અને પાણીથી પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. ભારત પાસે સમુદ્રમાંથી પણ બેલિસ્ટિક મિસાઈલો દ્વારા પરમાણુ હુમલો કરવાની તાકાત છે. રિપોર્ટ મુજબ ભારતે પાકિસ્તાનને બાજુએ મૂકીને હવે પરમાણુ નીતિ મુદ્દે ચીન પર ફોકસ કર્યું છે. રિપોર્ટ મુજબ જલ થલ નભ થી પરમાણુ હુમલો કરવામાં ભારત સક્ષમ છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube