પહેલાં ગીતના બદલમાં પંકજ ઉદાસને મળ્યા હતા 51 રૂપિયા, ગન પોઈન્ટ પર સંભળાવી હતી ગઝલ

Pankaj Udhas Death: કોર્સ પુરો કર્યા બાદ પંકજ ઉદાસ ઘણા મોટા સ્ટેજ શો પર પરર્ફોમ કરતા હતા. તે પોતાના ભાઇઓની માફક જ બોલીવુડમાં જગ્યા બનાવવા માંગતા હતા. તેના માટે તેમણે 4 વર્ષ સુધી સંઘર્ષ કર્યો પરંતુ આ દરમિયાન તેમને કોઇ મોટું કામ મળ્યું નહી. 

પહેલાં ગીતના બદલમાં પંકજ ઉદાસને મળ્યા હતા 51 રૂપિયા, ગન પોઈન્ટ પર સંભળાવી હતી ગઝલ

Singer Pankaj Udhas Passes Away: જાણિતા ગઝલકાર પંકજ ઉદાસનું આજે 72 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમના નિધનની જાણકરી તેમની પુત્રી નાયાબે સોશિયલ મીડિયા પર આપી હતી. ગઝલ ગાયક ગત કેટલાક દિવસોથી બિમાર હતા. મીડિયા રિપોર્ટ્સના અનુસાર તેમને મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 26 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. પંકજ ઉદાસની મોટી ઓળખ ફેમસ ગઝલ 'ચિઠ્ઠી આઇ હૈ' થી મળી હતી. 

ગુજરાતના જમીનદાર પરિવારમાં થયો હતો જન્મ
પંકજ ઉદાસનો જન્મ 17 મે 1951 ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તે પોતાના ત્રણ ભાઇઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ પાસે ચરખાડી નામના એક કસ્બામાં રહેતો હતો. તેમના દાદા જમીનદાર હતા અને ભાગનગર રાજ્યના દિવાન હતા. તેમના પિતા કેશુભાઇ ઉદાસ સરકારી કર્મચારી હતા, તેમને આ ઇસરાજ વગાડવાનો ખૂબ શોખ હતો. તો બીજી તરફ તેમની માતા જીતૂબેન ઉદાસને ગાવાનો શોખ હતો. એટલા માટે પંકજ ઉદાસ સહિત તેમના બંને ભાઇઓનો સંગીત પ્રત્યે પ્રેમ રહ્યો હતો. 

પહેલાં ગીતના બદલામાં મળ્યા હતા 51 રૂપિયા
પંકજ ઉદાસે ક્યારે વિચાર્યું ન હતું કે તે પોતાનું કરિયર સિંગિંગમાં બનાવશે. તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તે દરમિયાન લતા મંગેશકરનું 'એ મેરે વતન કે લોગો' ગીત રિલીઝ થયું હતું. પંકજ ઉદાસને આ ગીત ખૂબ પસંદ આવ્યું હતું. તેમને કોઇની પણ મદદ વિના આ ગીતને તે લય અને સૂર સાથે તૈયાર કર્યું. 

એક દિવસ શાળાના પ્રિન્સિપાલને ખબર પડી કે તે ગાવામાં વધુ સારા છે, ત્યારબાદ તેમને શાળાની પ્રાર્થના ટીમના વડા બનાવવામાં આવ્યા. એકવાર તેમની વસાહતમાં માતા રાણીની ચોકી લાગી હતી. રાત્રે આરતી-ભજન પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો. આ દિવસે પંકજની શાળાના શિક્ષકે આવીને તેને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવાની વિનંતી કરી. પંકજ ઉદાસે 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું. તેમના ગીતે ત્યાં બેઠેલા દરેકની આંખોમાં આંસુ આવી ગયા. તેને ખૂબ તાળીઓ પણ મળી હતી. પ્રેક્ષકોમાંથી એક માણસ ઊભો થયો અને તેના માટે તાળીઓ પાડી અને તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપ્યા.

સંગીત એકેડમીમાંથી કર્યો સંગીતનો અભ્યાસ
પંકજ ઉદાસના બંને ભાઇ મનહર ઉદાસ અને નિર્જલ ઉદાસ મ્યૂઝિક ઇંડસ્ટ્રીમાં જાણિતા નામ છે. આ ઘટના બાદ પેરેંટ્સને લાગ્યું કે પંકજ ઉદાસ પણ પોતાના ભાઇઓની માફક મ્યૂઝિક ફીલ્ડમાં સારું કરી શકે છે, ત્યારબાદ પેરેંટ્સએ તેમનું એડમિશન રાજકોટમાં સંગીત એકેડમીમાં કરાવી દીધું. 

કામ ન મળતાં નિરાશ થઇને વિદેશ ગયા
ત્યાં કોર્સ પુરો કર્યા બાદ પંકજ ઉદાસ ઘણા મોટા સ્ટેજ શો પર પરર્ફોમ કરતા હતા. તે પોતાના ભાઇઓની માફક જ બોલીવુડમાં જગ્યા બનાવવા માંગતા હતા. તેના માટે તેમણે 4 વર્ષ સુધી સંઘર્ષ કર્યો પરંતુ આ દરમિયાન તેમને કોઇ મોટું કામ મળ્યું નહી. તેમણે ફિલ્મ કામનામાં પોતાના એક ગીતને અવાજ આવ્યો હતો, પરંતુ તે ફિલ્મ ફ્લોપ થઇ ગઇ, જેના લીધે તેમને કોઇ ખાસ પોપુલારિટી મળી નહી. કામ ન મળવાથી દુખી થઇને તેમણે વિદેશ જઇને રહેવાનો નિર્ણય કર્યો.

જે ફિલ્મના ગીતથી નામના મળી, તેમાં કામ કરવાની ના પાડી દીધી
વિદેશમાં પંકજ ઉદાસને ખૂબ લોકપ્રિયતા મળી. આ દરમિયાન એક્ટર અને પ્રોડ્યુસર રાજેન્દ્ર કુમારે તેમના ગીતોને સાંભળ્યા અને ખૂબ ઇમ્પ્રેસ થયા. તે ઇચ્છતા હતા કે પંકજ એક ફિલ્મ માટે ગાય અને કેમિયો પણ કરે. તેના માટે તેમના આસિસ્ટન્ટે પંકજ ઉદાસ સાથે વાત કરી. પરંતુ તેમને ના પાડી દીધી. 

રાજેન્દ્ર કુમારે તેમના ભાઈ મનહર ઉદાસ સમક્ષ પંકજ ઉદાસના વલણનો ઉલ્લેખ કર્યો. જ્યારે મનહર ઉદાસે પંકજ ઉદાસને આ વાત કહી તો તેમને ખૂબ જ ખરાબ લાગ્યું. તેમણે રાજેન્દ્ર કુમારના આસિસ્ટન્ટને બોલાવીને મીટિંગ નક્કી કરી. આ મુલાકાત પછી તેમણે નામ ફિલ્મમાં કામ કર્યું અને ગઝલ 'ચિઠ્ઠી આયી હૈ' ને પોતાનો અવાજ આપ્યો. આ ગઝલ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. આ ગઝલનું એડિટિંગ ડેવિડ ધવને કર્યું હતું.

'ચિઠ્ઠી આયી હૈ' ગીત સાંભળીને રડી પડ્યા હતા રાજકપૂર
રાજેન્દ્ર કુમાર અને રાજ કપૂર ઘણા સારા મિત્રો હતા. એક દિવસ તેમણે રાજ કપૂરને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા. ડિનર પછી તેમણે પંકજ ઉધાસના અવાજમાં રાજ કપૂરને ચિઠ્ઠી આઇ હૈ ગઝલ સંભળાવી તો તે રડી પડ્યા. તેમણે કહ્યું કે આ ગઝલ પંકજ ઉદાસને ઘણી લોકપ્રિયતા અપાવશે અને તેમનાથી સારી આ ગઝલ બીજું કોઈ ગાઈ શકે નહીં.

ગન પોઈન્ટ પર સંભળાવી હતી ગઝલ
ધીરે-ધીરે પંકજ ઉદાસને ગઝલ ગાયિકા સાથે પ્રેમ થઇ ગયો, જેના માટે તેમણે ઉર્દૂ ભાષા શીખી. એકવાર તે સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા હતા, જ્યાં તેમણે 4-5 ગઝલો ગાઇ હતી. ત્યારે એક દર્શક તેમની પાસે આવ્યો અને ગઝલ માટે ફરમાઇશ કરી. પંકજ ઉદાસને તેનું વર્તન પસંદ ન આવ્યું અને તેમણે ગાવાની ના પાડી. આ જોઈને તે વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે તેણે પંકજ ઉદાસની સામે બંદૂક તાકી અને તેમને ગાવાનું કહ્યું. પંકજ ઉદાસે તેની હરકતથી એટલા ડરી ગયા હયા કે તેમણે તેની ફરમાઇશ પર એક ગઝલ ગાઇ હતી.

મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરતાં ઘરવાળાઓને વાંધો ન હતો
પંકજ ઉદાસે 11 ફેબ્રુઆરી 1982 ના રોજ ફરીદા સાથે લગ્ન કર્યા હતા. એક કોમન ફ્રેન્ડના લગ્નમાં બંનેની મુલાકાત થઇ હતી. પંકજને પહેલી નજરમાં જ ફરીદા પસંદ આવી ગઇ હતી. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી. પહેલાં બંને વચ્ચે મિત્રતા થઇ, પછી પ્રેમ. બંને લગ્ન કરવા માંગતા હતા. પંકજ ઉદાસના પરિવારજનોને આ સંબંધથી કોઇ વાંધો ન હતો. 

જ્યારે ફરીદાએ આ સંબંધની વાત પોતાના પરિવારને કહી, તો તેમને આ સંબંધ મંજૂર ન હતો. તે બીજા ધર્મમાં પોતાની છોકરીના લગ્ન કરાવવા માંગતા ન હતા. ફરીદાના કહેવા પર પંકજ ઉદાસ તેમના ઘરે ગયા અને તેમના પિતાને સંબંધની વાત કહી. ફરીદાના પિતા નિવૃત પોલીસ ઓફિસર હતા, એટલા માટે પંકજ ખૂબ ડરી ગયેલા હતા, પરંતુ તેમને પોતાની વાતોથી તેમનું દિલ જીતી લીધું. ફરીદાના પિતા બંનેના લગ્ન માટે માની ગયા. ત્યારબાદ બંનેના લગ્ન થયા અને તેમને બે પુત્રીઓ છે જેમનું નામ નાયાબ અને રેવા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news