રજનીકાંતે નાગરિકતા બિલ મામલે મત આપવાને બદલે કહી દીધી મોટી વાત

હાલમાં બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) મામલે સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) એટલે કે થલાઇવા પાસે તેમનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. 

રજનીકાંતે નાગરિકતા બિલ મામલે મત આપવાને બદલે કહી દીધી મોટી વાત

મુંબઈ : હાલમાં બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) મામલે સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) એટલે કે થલાઇવા પાસે તેમનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપતા આ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. તેઓ પોતાની ફિલ્મ દરબારના પ્રમોશન કરવા માટે મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મ પર ફિલ્મના પ્રમોશન માટે છે, રાજકીય ચર્ચા માટે નથી. રજનીકાંતની આ ફિલ્મ જાન્યુઆરી મહિનામાં પોંગલના દિવસે રિલીઝ થશે. 

સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે અને લોકો ધડાધડ એને જોઈ રહ્યા છે.

‘દરબાર’માં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’ ફિલ્મના રજનીકાંતના લૂકના વખાણ થઈ રહ્યા છે. ‘દરબાર’નું ટ્રેલર મુંબઈની એક ગ્રાન્ડ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું, આ ફિલ્મમાં નયનતારા, સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર અને યોગી બાબુ જેવા સ્ટાર્સ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news