રજનીકાંત News

Birthday Special રજનીકાંત : રજનીકાંતને રિયલ લાઈફમાં પહેલી નજરમાં થયો હતો પ
rajinikanth birthday Special: બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી પોતાનું સ્ટારડમ જાળવી રાખના, પોતાના ફેન્સના ચહીતા થલાઈવા (Thalaiva) એટલે કે રજનીકાંત (Rajinikanth) હંમેશા પોતાની ફિલ્મોમાં નવા રેકોર્ડ બનાવતા રહે છે. રજનીકાંત ફિલ્મોના રોલથી જ નહિ, લોકોના દિલમાં રાજ કરે છે. આજે રજનીકાંતનો 69મો જન્મદિવસ (rajnikanth birthday) છે. આ પ્રસંગે તેમના જીવનની કેટલીક ખાસ બાબતો જાણીએ. રજનીકાંતને તેમના ફેન્સ ભગવાન માને છે. પરંતુ આ લેવલ પર પહોંચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને રનીજકાંતે કરોડો પ્રશંસકો બનાવ્યા છે. એક સમયે કંડક્ટરનું કામ કરનાર રજનીકાંત આજે એશિયામાં સૌથી વધુ ફી લેનારા એક્ટર બની ગયા છે. 
Dec 12,2019, 12:29 PM IST
આજે રાત્રે 40 વર્ષ માટે તળાવમાં જળસમાધિ લેશે ભગવાન અતિ વરદરાજા
તમિલનાડુના સૌથી જૂના શહેરોમાંથી એક કાંચીપુરમમાં દોઢ મહિનામાં અંદાજે 90 લાખ જેટલા લોકો આવી ચૂક્યા છે. તેનુ એક ખાસ કારણ છે. અહીં જે ભગવાન છે, તે 40 વર્ષો બાદ ભક્તોને દર્શન આપવા માટે જળસમાધિમાંથી બહાર આવે છે. આ મંદિરનું નામ છે વરદરાજા સ્વામી મંદિર. વરદરાજા સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા વરદરાજા સ્વામીની પ્રતિમાને 40 વર્ષમાં એકવાર તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. આ પ્રતિમાને 48 દિવસ સુધી મંદિરમાં દર્શન માટે રાખવામાં આવે છે. આજે ભગવાન અતિ વરદરાજાના દર્શનનો અંતિમ દિવસ છે. હવે 40 વર્ષ બાદ જ તેમના દર્શન થશે. આજે 17 ઓગસ્ટના રોજ રાત્રે તળાવમાં ફરી તળાવમાં રાખવામાં આવશે. હવે 2059માં આ પ્રતિમા કાઢવામાં આવશે. 
Aug 17,2019, 17:45 PM IST

Trending news