ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે છે ડિમાન્ડ, શિયાળામાં સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર

Mehsana: કચરિયું એ શિયાળાનું મિષ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાંજ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. શિયાળા માં કચરિયુ ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાત માં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની વાત કરીએ.

ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે છે ડિમાન્ડ, શિયાળામાં સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર

તેજસ દવે, મહેસાણા: કચરિયું એ શિયાળાનું મિષ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાંજ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. શિયાળા માં કચરિયુ ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાત માં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની વાત કરીએ.

મહેસાણા જિલ્લાના ઊંઝાએ વિશ્વના સૌથી મોટા Apmc ના કારણે ખુબજ નામના પ્રાપ્ત કરી છે. અહીં જીરું, વરિયાળી તેમજ તલનું યોગ્ય મુલ મળતું હોવાથી મોટી આવક થાય છે. અહીં apmc ના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે. તો વળી ઊંચી ગુણવત્તા વાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ફુલ્યો ફાલ્યો છે. જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે. અને ઊંઝાના કચરિયાની ગુણવત્તા ને કારણે ખુબજ ડિમાન્ડ રહી છે. 

અહીંનું કચરિયું ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખુણેખૂણે સુધી ફેમસ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જ તલની સારી એવી અને યોગ્ય ગુણવત્તા વાળા તલની આવક થતા સારી ક્વોલિટીનું કચરિયું લોકોના સ્વાદ મુજબનું સ્વાદિષ્ટ મળી રહે છે અને તે પણ વ્યાજબી ભાવે.

ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી છે. ગુજરાત ના ખૂણે ખૂણે થી લોકો ઊંઝાનું કચરિયું મેળવી અનેરા સ્વાદ નો ચસ્કો મેળવી રહ્યા છે. શિયાળાનું રસાણું પણ કચરિયાને કહેવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં કાજુ દ્રાક્ષ તેમજ સૂંઠ જેવા મરી મસલાનું મિશ્રણ કરવામાં આવે છે. તેને જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. હાલમાં કચરિયું એક એનર્જી બુસ્ટર સાબિત થઈ શકે છે.

આ કચરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રુટ તેમજ ગરમ તેજા ઉમેરવામાં આવે છે આમ શિયાળા માં કચરિયું આરોગવાથી શિયાળામાં કફ પિત્તના પ્રોબ્લેમ તો દૂર થાય છે સાથે સાથે એનર્જી માં વધારો કરે છે. આથીજ તેંની માંગ પણ વધી છે અને ઊંઝાના કચરિયા એ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ પણ ઉભી થઇ છે. જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news