Gujarat Farmers : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં બે લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણ ખેડૂતો માટે નેનો યુરીયામાં 50% ગુજરાત સરકારની સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો-યુરિયાની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો. કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી. તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમજ, દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે.


ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધી સૌથી પહેલા કરશે આ કામ, જાહેરમાં આપી હિન્ટ


ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, 102 વર્ષથી સહકારીતા દિવસથી ઉજવણી કરવામાં આવે છે. આજે શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ દિવસ છે. આજે બંગાળ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે તે શ્યામ પ્રસાદ મુખર્જીને આભારી છે. આજના દિવસે જ સ્વતંત્ર સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયની માગ હતી કે સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવે. ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકા નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ગુજરાત સરકારે વિશેષ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકાની સબસિડી ગુજરાત સરકાર આપશે. નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના જાહેર કરાઈ છે. 


રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું