નવી દિલ્હી: કોરોના સામે લડત લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને PM cares fundમાં દાન કરવા માટે અપીલ કરી છે. જેને કોર્પોરેટ જગતે ખુબ ગંભીરતાથી લઈને જાણે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. કોર્પોરેટ જગતમાંથી મોટા પાયે દાન આવી રહ્યું છે. ટાટા ગ્રુપે 1500 કરોડ દાન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપના ભારોભાર વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે VIDEO બહાર પાડીને નિઝામુદ્દીન મરકઝના લોકોની પોલ ખોલી, સત્ય શું છે તે જુઓ


ડોનેશન માટે બનાવ્યું નવું ફંડ
નોંધનીય છે કે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે પીએમ કેર્સ ફંડની રચના થઈ જેની જાહેરાત પીએમ મોદીએ શનિવારે કરી. દેશવાસીઓને ત તેમણે આહ્વાન કર્યું કે કોરોના સામે લડત લડવા માટે વધુમાં વધુ દાન કરો. પીએમ કેર્સ ફંડની રચના એક અલગ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી જેનું આખુ નામ છે પ્રાઈમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્ટ્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (PM CARES FUND).


ત્યારબાદ આ ફંડમાં દાન કરવા માટે કોર્પોરેટથી લઈને બોલિવૂડ હસ્તીઓમાં હોડ લાગી છે. ટાટા સમૂહે કુલ 1500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમાં 500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. આ ઉપરાંત મોટા કોર્પોરેટ સમૂહની વાત કરીએ તો અદાણી ગ્રુપ, વેદાંતા સમૂહ, પેટીએમ, જિંદાલ સમૂહ વગેરેએ પણ મોટાપાયે દાન આપવાની જાહેરાત કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube