મુંબઈઃ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. તેમના ચાહકો બિગ બી માટે દુવાઓ કરી રહ્યાં છે. તો બચ્ચન પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે. તેમણે પાછલા સપ્તાહે કોરોના થવાની માહિતી આપી હતી. ત્યારબાદ તેમના પુત્ર અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોનાનો શિકાર બન્યા હતા. ત્યારબાદ અમિતાભ અને અભિષેક બચ્ચનની સાથે એશ્વર્યા અને આરાધ્યાએ પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ વચ્ચે લોકોની પણ ચિંતા વધી હતી. હવે અમિતાભે શનિવારે રાત્રે અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની સાથે તસવીર પોસ્ટ કરીને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. 


સુશાંત આત્મહત્યા કેસ: કંગના રનૌતે ફરી આપ્યું એવું નિવેદન...મચ્યો ખળભળાટ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારી છે પરિવારની સ્થિતિ
બચ્ચન પરિવારની સ્થિતિને લઈને ફેન્સ ચિંતા કરી રહ્યાં હતા. તેના પર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે, તેમની સ્થિતિ સારી છે. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube