નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube