મુંબઈ : સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં'ની બીજી સિઝન શરૂ થઈ રહી છે. વર્ષો પહેલાં સુપરહિટ સાબિત થયેલી આ સિરિયલમાં વરૂણ સોબતી અને સનાયા ઇરાનીની ભજવેલા પાત્રો અર્નબ સિંહ રાયઝાદા અને ખુશી કુમારી ગુપ્તાની કેમિસ્ટ્રી પર દર્શકો ફિદા હતા. હવે પબ્લિક ડિમાન્ડ પર ચેનલે  આ શોની બીજી સિઝન ઓન એર કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એના બે પ્રોમો પણ સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર સાંભળીને વરૂણ અને સનાયાના ચાહકો ખુશખુશાલ છે. આ ચાહકો જોડીને ટીવી સ્ક્રિન પર જોવા તલપાપડ છે તો કેટલાક ચાહકોએ સનાયાને પ્રોમોમાં દેખાડવામાં ન આવી હોવાની ફરિયાદ કરી છે. 


શાહિદ કપૂરે એક્સ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ચોપડાના પતિને આપી દીધી મોટી સલાહ


આ શો 7 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે. આ શોનો અંત છ વર્ષ પહેલાં થયો હતો અને હવે ફરીથી નવી સિઝન આવી રહી છે. વરૂણ સોબતીએ આ સિરિયલમાં અર્નબ સિંહ રાયઝાદાનો રોલ કર્યો હતો જે બહુ લોકપ્રિય થયો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...