મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. બાંદ્રા પોલીસ દરેક પાસાની તપાસ કરવામાં લાગી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે પોલીસે જાણીતા ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને પૂછપરછ માટે બોલાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીવ મસંદની થશે પૂછપરછ
ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે 21 જુલાઈએ બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ મસંદે સુશાંતને લઈને ઘણા નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા. સાથે સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યા હતા. માહિતી છે કે રાજીવે કેટલાક લોકોના કહેવા પર સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપી હતી. આ સંદર્ભમાં પૂછપરછ માટે રાજીવ મસંદને બોલાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ બાદ જાણવા મળશે કે આ બધા આરોપમાં કેટલું સત્ય છે. 


આ કેસમાં અત્યાર સુધી ઘણા હાઈ પ્રોફાઇલ લોકોની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોલીસ જલદી તે જાણકારી મેળવી લેશે કે સુશાંતે ક્યા કારણે આત્મહત્યા જેવુ મોટુ પગલુ ભર્યુ હતું. બીજી તરફ સોશિયલ મીડિયા પર સુશાંતના મોતની સીબીઆઈ તપાસની માગ જોર પકડી રહી છે. સુશાંતના ફેન્સ સિવાય બોલીવુડના અન્ય સેલિબ્રિટીઓ પણ આ કેસની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી રહ્યાં છે. 


સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ 'Suicide or Murder', લીડ રોલમાં હશે આ સ્ટાર


સુશાંતની ગર્લફ્રેન્ડે કરી સીબીઆઈ તપાસની માગ
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ અભિનેતા આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાની અપીલ કરી છે. રિયા ચક્રવર્તીએ ટ્વીટ કરીને લખ્યુ હતું- માનનીય અમિત શાહ જી, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. તેના મોતને એક મહિનો થઈ ગયો છે. મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ ન્યાયની માગ કરુ છું કે, તમે આ કેસની સીબીઆઈ તપાસ  કરાવો. હું જાણવા ઈચ્છુ છું કે તેના પર શું તણાવ હતો, તેવું શું બન્યું કે, તેણે આટલું મોટુ પગલું ભર્યું.  


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube