નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ હાથ ધરી રહી છે. હાલમાં જ સામે આવેલા ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોલીસને જાણવા મળ્યું હતું કે ફાંસો ખાવાના કારણે જ સુશાંતનું મૃત્યુ થયું હતું. 5 ડોક્ટરોની ટીમે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી હતી. અને હવે આ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંત સિંહના શરીરમાં કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ કેમેકિલ કે ઝેર મળી આવ્યું નથી. અત્રે જણાવવાનું કે પોસ્ટમોર્ટમ બાદ વિસરાને જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું હતું. મંગળવારે તેનો રિપોર્ટ સામે આવ્યો. આ બાજુ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તેના મિત્રો અને તેના ઓળખીતાઓને પૂછપરછ કરી રહી છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube