અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 7 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 872 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 502 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,57,066 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના યુવકના ઓર્ગન ડોનેશને અનેક જીવન ઉજાળ્યાં, અમદાવાદની મહિલાને હૃદય ટ્રાન્સપ્લાન્ટ


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,16,774 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,13,964 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2810 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 10308 એક્ટિવ કેસ છે. જ્યારે 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 10253 સ્ટેબલ છે. 28685 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2034 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, પાટણ 1, દાહોદ અને કચ્છનાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે. આ પ્રકારે આજનાં દિવસનાં કુલ 10 ોકોના મોત નિપજ્યાં છે. 


સુરત: ઇચ્છાપોર તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનાં મોત, પરિવારમાં આભ ફાટ્યું

નવા નોંધાયેલા કેસ
સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશન 166, સુરત 90, વડોદરા કોર્પોરેશન 42, ભાવનગર કોર્પોરેશન 37, વડોદરા 30, રાજકોટ કોર્પોરેશન 29, ભરૂચ 23, ખેડા 20, મહેસાણા 19, નવસારી 17, વલસાડ 17, જુનાગઢ કોર્પોરેશન 16, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 14, અમદાવાદ 12, બનાસકાંઠા 12, ભાવનગર 12, રાજકોટ 12, કચ્છ 10, સુરેન્દ્રનગર 10, જામનગર 9, સાબરકાંઠા 9, આણંદ 8, ગીરસોમનાથ 8, જુનાગઢ 8, મોરબી 7, નર્મદા 7, મહીસાગર 6, પંચમહાલ 5, પાટણ 5, અમરેલી 4, અરવલ્લી 4, દાહોદ 3, બોટાદ 2, જામનગર કોર્પોરેશન 2, છોટાઉદેપુર 1, દેવભુમી દ્વારકા 1, પોરબંદરમાં 1 દર્દી નોંધાયો છે. 


સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડિસ્ચાર્જની વિગત
સુરત કોર્પોરેશન 107, અમદાવાદ કોર્પોરેશન 123, સુરત 29, વડોદરા કોર્પોરેશન 63, વડોદરા જિલ્લો 5, ભરૂચ 18, ખેડા 6, મહેસાણા 6, નવસારી 17, વલસાડ 14, ગાંધીનગર 10, ગાંધીનગર કોર્પોરેશન 8, અમદાવાદ 3, ભાવનગર 10, કચ્છ 11, સુરેન્દ્રનગર 2, જામનગર 1, સાબરકાંઠા 5, આણંદ 6,  મોરબી 3, પંચમહાલ 5, પાટણ 9, અમરેલી 2, અરવલ્લી 6, બોટાદ 1, જામનગર કોર્પોરેશન 28, છોટાઉદેપુર 2 અને તાપીમાંથી 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર