અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ (Environment) જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો 4 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ (Rivefront) ઉપર યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્લાવર શો (Flower Show) રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જે માટે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાનના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Breaking : બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર


આ વર્ષના ફ્લાવર શોની વિશેષતા


  • ફ્લાવર શોના મુલાકાતીઓ માટે એએમસીએસની ખાસ સેવા

  • ફ્લાવર શોમાં 100 જાતી, 700 પ્રજાતીના 10 લાખથી વધુ રોપા હશે

  • દેશની ખ્યાતનામ 7 નર્સરી અને 35 જેટલા વધુ સ્ટોલ 

  • વિવિધ પ્રકારના 50થી વધુ સ્કલ્પચર રહેશે આકર્ષણનું કેન્દ્ર

  • જુદી-જુદી 7 થીમ પર કરાયુ આયોજન

  • ગાંધીજી, મચ્છર ઉત્પત્તિ, ફાયરબ્રિગેડ, રોયલ ગાર્ડન, સેવ વોટર અને વેસ્ટમાંથી બેસ્ટ થીમ

  • વિવિધ સ્ક્લપચર રહેશે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર


વોડકાથી લઈને વ્હીસ્કી સુધી બધુ મોંઘુ... 31 ડિસેમ્બરે બૂટલેગરો આ ભાવે વેચી રહ્યાં છે દારૂની બોટલ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ અને પામ સહિત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટા વિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી ખ્યાતનામ નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે. ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. આ મહાત્મા ગાંધીના જીવન ઉપરાંત મોસ્કિટો બ્રીડીંગ, ફાયર બ્રિગેડ સહીતની થીમ પર તૈયાર કરાઇ રહેલા સ્ક્લપચર મુખ્ય આકર્ષણ રહેશે.


જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ, 29 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો


20 રૂપિયા પ્રવેશ ફી લેવાશે 
નોંધનીય છે કે, મેગા સિટીમાં યોજાતા ફ્લાવર શોમાં લગભગ 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. શહેરીજનો આ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની ભીડને નિયંત્રિત કરવા આ વર્ષે ટીકિટના ભાવમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે. રૂ.10 ની ટીકીટના રૂ.20 કરવામાં આવ્યા છે. અને શનિવાર-રવિવારે વધી જતી ભીડને કાબુમાં લેવા આ દિવસોમાં ટિકીટના રૂ.50 કરી દેવાયા છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે.


આગામી 4 જાન્યુઆરીએ મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાનારા સાતમાં ફ્લાવર શોને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 3 જાન્યુઆરીની રાત સુધીમાં તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....