ઉદય રંજન/અમદાવાદ :પોપ્યુલર બિલ્ડર પર શારિરિક માનસિક ત્રાસના કિસ્સામાં ગઇ કાલે જાનકીબહેનના બહેન નિમાબહેનના ઘરથી અઢી કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ અઢી કરોડ રૂપિયા ફીઝુ પટેલને સમાધાનના અને એફિડેવિટના ભાગરૂપે આપવામાં આવ્યા હતા. જાનકી પટેલની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવ્યા બાદ તેઓને ઘરે મોકલવામા આવ્યા હતા. ત્યારે હાલ વસ્ત્રાપુર પોલીસે હાલ જાનકી પટેલના ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે રમણભાઈના ભાઈ દશરથ ભાઈની પણ પૂછપરછ કરવામાં આવશે.  


અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના પરિવારમાં ડખા, પુત્રવધૂએ આખા પરિવાર સામે નોંધાવી ફરિયાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પોપ્યુલર હાઉસના સંચાલક બિલ્ડર મોનાંગ પટેલ અને તેના પિતા રમણ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મોનાંગ પટેલની પત્નીએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે અમદાવાદના હાઈપ્રોફાઈલ કેસમા વધુ એક નવો વળાંક સામે આવ્યો છે.રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા. 


ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  


સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....


ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  


અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત 


કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના


ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો


JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાભરમાં આક્રમક આંદોલન   


ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક