ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ પરિવાર તૂટતા જાય છે, તો બીજી તરફ મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ તરીકે જોવામા આવે છે. જૂનાગઢના ભાજપના આગેવાન અને પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના ઘરે વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે, દિવાળીના દિવસે પરિવારના મોભી દ્વારા દીકરી, પુત્રવધુ હોય કે પત્ની તમામનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મી તરીકે મહિલાઓને સન્માન આપીને કોટેચા પરિવાર આરતી ઉતારી તેમને પગે લાગે છે અને તેઓનું પૂજન કરે છે.


આ પણ વાંચો : પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતા કંપનીએ પોતાના કર્મચારીઓને ઈ-બાઈક ગિફ્ટ કરી


આજે કોટેચા પરિવાર મહિલાઓનું પૂજન કરીને અન્ય સમાજને નવી રાહ ચીંધી છે. બીજી તરફ પ્રધાનમંત્રી બેટી બચાવ અને બેટી પઢાવોની સાથે સમાજમાં મહિલાઓને સન્માન મળે તે દિશામાં કામ કરે છે, ત્યારે કોટેચા પરિવાર છેલ્લા 30 વર્ષથી ઘરની મહિલાઓનું પૂજન કરીને તેમને ઘરની લક્ષ્મી માને છે.



આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પેટ્રોલ-ડીઝલમાં સૌથી મોટો ઘટાડો, જાણો સરકાર પર કેટલો બોજો વધશે


આજના સમયમાં પરિવાર નાનો થતો જાય છે. એવા સમયે કોટેચા પરીવાર મહિલાઓનું સન્માન કરે છે અને કોટેચા પરિવારની મહિલાઓ પણ આ પરંપરાનું ગૌરવ અનુભવે છે. પરિવારના ગીતાબેન કોટેચાનું કેહવું છે કે, આજે દીપાવલી પર્વમાં ઘરે ઘરે લક્ષ્મી પૂજા થાય છે. પણ ખરા અર્થમાં તમારા ઘરમાં રહેતી પત્ની અને પુત્રવધુ સાથે દીકરીઓને સન્માન મળે તે જ સાચી લક્ષ્મી કહેવાય છે. ત્યારે કોટેચા પરિવાર દીપાવલી પર્વે અનોખી રીતે ઉજવીને દરેક પરિવાર એક બને તેવો અનોખો સંદેશ આપે છે.