Gujarat Wether Forecast ગૌરવ દવે/રાજકોટ : બિપોરજોય વાવાઝોડાને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. કૃષ્ણની દ્વારકા નગરી હાલ સંકટમાં છે. આવામાં દ્વારકાના ગોમતીઘાટના EXCLUSIVE દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાના પાણી ફરી વળ્યા છે. ગુજરાતના તટ પર ત્રાટકતુ અત્યાર સુધીનું સૌથી ભયાનક વાવાઝોડું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સાધુ સંતો પણ ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યા છે કે, વાવાઝોડું દરિયામાં જ સમાઈ જાય. આવામાં ગોમતી ઘાટ પર આવેલા રામજી મંદિરના પુજારીએ ભયાનક વાવાઝોડુ હોવાનો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામદાસ બાપુએ કહ્યું કે, અહીં દ્વારકામાં રહીને મને 17 વર્ષ થઈ ગયા. 16 થી 17 વર્ષમાં હું દર વર્ષે એકાદ વાવાઝોડું તો જોઉં જ છું. પરંતુ બિપોરજોય તોફાનની તાકાત શક્તિશાળી છે. પહેલીવાર જોયું કે, દરિયાનું પાણી અમારા મંદિરથી ઉઠીને આગળના મંદિર તરફ ગયું છે. પાણીની લહેરો 20 થી 25 ફૂટ ઉછળીને બીજા મંદિર તરફ જઈ રહી છે. અમારા રામજી મંદિરને તો વાવાઝોડાએ તહેસનહેસ કરી દીધું છે. મેં જીવનમાં 20-25 જેટલા વાવાઝોડા જોયા છે. પરંતુ આ વાવાઝોડાની જેમ તોફાનની ગતિ મેં પહેલા ક્યારેય નથી જોઈ. 


ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થયું, સાંજે આ સમયે ગમે ત્યારે આવશે


વાવાઝોડાને લઈને દ્વારકામાં શું માન્યતા છે તે વિશે તેઓએ કહ્યું કે, અહી અમારા રાજાધિરાજ દ્વારકાધીશ બેસેલા છે. તેઓએ અહીથી કેટલાય વાવાઝોડા પસાર કરાવ્યા છે. તેથી મને દ્વારકાધીશ ભગવાનથી એ જ આશા છે કે, આ વાવાઝોડું પણ ભગવાનની કૃપાથી જ આવી રીતે જ પસાર થઈ જાય. દ્વરકાને કંઈ નહિ થાય, કારણ કે દ્વારકાના નાથ રાજાધિરાજ બિરાજમાન છે. 


Cyclone Biporjoy: આવી રહેશે વાવાઝોડાની ટકરાવાની પેટર્ન, અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે


મંદિરની બહાર ચુસ્ત પોલીસ પહેરો
બિપરજોય ચક્રવતની આજે અસરના પગલે વહીવટી તંત્રએ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે દ્વારકાધીશના દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે. જેથી દ્વારકાની બજારો સ્વયંભૂ બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય કર્યો છે. આજે સવારથી જ બજારો સ્વયંભૂ બંધ જોવા મળી. તો ભારે ફૂંકાતા પવન વચ્ચે દ્વારકાધીશને પૂજારી દ્વારા તમામ પહોરની આરતી અને ભોગ ધરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 


વાવાઝોડાના ડરથી આખું કંડલા પોર્ટ ખાલી થઈ ગયું, PHOTOs માં જુઓ બંદરનો સુમસાન નજારો


બહારથી આવેલા મુસાફરો અટવાયા 
વાવાઝોડાના સંકટને પગલે દ્વારકાધીશના દર્શને ન આવવા શ્રદ્ધાળુઓને અપીલ તંત્ર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાત બહારથી આવેલા લોકો દ્વારકામાં અટવાયા છે. ટ્રેન અને બસ સેવા રદ થતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. બહારથી આવેલા લોકોને પરત જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રેન અને બસ ન મળતાં અનેક શ્રદ્ધાળું ચિંતામાં મુકાયા છે. જોકે, સંકટનો સામનો આ મુસાફરો પણ હાલ કરી રહ્યાં છે. 


અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે


તો બીજી તરફ, વાવાઝોડાના લેન્ડફોલ પહેલા જ દ્વારકામાં તંત્ર દ્વારા બધી તૈયારીઓ કરી લેવાઈ છે. દ્વારકાધીશ મંદિરની સામે ગોમતી નદી અને સમુદ્રના સંગમના કિનારે તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. ગોમતી નદીમાં ચાલતી બોટને કિનારે લાંગરી દેવાઈ છે. તમામ બોટ માલિકોને 16 જુન સુધી બોટ ન કાઢવાનો આદેશ કરાયો છે. તો પ્રવાસીઓને પણ મંદિરથી દૂર કરાયા છે. સાથે જ, મંદિરના આસપાસના રહેનારાઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 


દ્વારકાથી વાવાઝોડાનો લાઈવ રિપોર્ટ : ટ્રેન-બસ બંધ થતા બહારથી આવેલા મુસાફરો અટવાયા


આખા મુંબઈ શહેર જેટલો છે બિપારજોય વાવાઝોડાનો ઘેરાવો, આ બીજી માહિતી જાણીને ચોંકી જશો