મહેસાણાઃ આજે સવારે 8 માસની દિકરી પર કોઈ એસિડ નાખીને ભાગી ગયું હોવાની એક ફરિયાદ કડી તાલુકાના ચાણસ્મા ગામે નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરીને દિકરીના હત્યારા એવા નરાધમ પિતાને પકડી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીવાયએસપી મનજીતા વણઝારાએ આ અંગે જણાવ્યું કે, "પડોશીની પત્ની સાથે આંખ મળી જતાં પિતાએ કાવતરું ઘડ્યું હતું. જે મુજબ નરાધમ પિતાએ પોતાની 8 માસની કુપોષિત દિકરીના ગળાના ભાગે એસિડ નાખી દીધો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. ફરાર થઈને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની દિકરીની પડોશીએ એસિડ નાખીને હત્યા કરી છે."


સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો


ડીવાયએસપીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, "પોલીસને સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું લાગ્યું હતું. આથી બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપી પિતાને શોધી કાઢીને કડકાઈથી પુછપરછ કરતાં તેણે ગુનો કબુલી લીધો હતો. પોસ્ટમોર્ટમમાં પણ કુપોષિત બાળકીના ગળાના ભાગે એસિડ નાખવાનું પુરવાર થયું છે."


મહેસાણા : માતાની નજર હટી અને ઘરમાં સૂતેલી 8 માસની દીકરી પર એસિડ ફેંકીને કોઈ ભાગી ગયું


પોલીસે જણાવ્યું કે, આરોપી પિતા વિનુભાઈ અગાઉ પણ ગુનાઈત કામ બદલ સજા ભોગવી ચૂક્યો છે. આથી, તે એસિડ ક્યાંથી લાવ્યો, તેની સાથે આ કાવતરામાં બીજું કોણ-કોણ સામેલ હતું વગેરે મુદ્દે હવે પોલીસ આગળ તપાસ હાથ ધરશે. 


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....