અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1120 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 959 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 50560 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 777.84 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13,12,824 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1114 તથા અન્ય રાજ્યના 06 એમ કુલ 1120 કેસ નોંધાયેલા છે. આજ રોજ 959 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી: શ્રાવણીયા જુગાર પર આરઆરસેલનાં દરોડા, 50 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારી ઝડપાયા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,00,731 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,99,932 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 829 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


રાજ્યનાં 5 જિલ્લાઓનાં 100% ઘરોમાં 2જી ઓક્ટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડાશે


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14500 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14418 લોકો સ્ટેબલ છે. 61496 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2787 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 20 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશન 4, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, ભાવનગર 2, મોરબી 2, ગીર સોમનાથ 1, કચ્છ 1, પાટણ 1, વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 20 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર