ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 17 કેસ આવ્યા છે. તો બીજી તરફ 43 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,448 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં રસીકરણ મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં રસીના કુલ 95,147 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણમાં પિતાએ આત્મહત્યા કરી, પુત્ર એટલું રડ્યો કે મૃતદેહમાં બેઠો થયો અને પુત્રને...


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 358 એક્ટિવ કેસ છે. જૈ પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 352 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,448 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,939 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 8, બનાસકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 અને ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધતા કુલ 17 કેસ નોંધાયા છે. 


વિદ્યાર્થીઓ ચડાવો બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ: GUJCET પરીક્ષાની તારીખ જાહેર


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1854 ને પ્રથમ જ્યારે 17038 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 933 ને પ્રથમ જ્યારે 11464 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 7420 ને પ્રિકોર્શન જ્યારે 12-14 વર્ષના તરૂણા પૈકી 56438 ને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 95147 રસીના ડોઝ અપાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,46,88,044 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube