ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક માથુ ઉચકી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાને 37 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશનના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,26,516 નાગરિકોનું રસીકરણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભુપેન્દ્ર પટેલની BJP અંગે મોટી ભવિષ્યવાણી કહ્યું કે, આજે તો ભાજપ છે પણ...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 220 થી વધારે નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકો અત્યાર સુધી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આજે રસપ્રદ બાબત છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું જે રાજ્ય માટે રાહતના સમાચાર ગણી શકાય. આજે સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 6, નવસારી અને વલસાડમાં 4, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 37 કેસ નોંધાયા હતા. 


પતિ પત્નીને પટ્ટે અને વાયરથી મારતો અને પછી.... પત્નીને એવું થયું કે આ જીવતા નર્ક કરતા તો...


જો રસીકરણની વાત કરીએ તો આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 વર્કરને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1306 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 9519 નાગરિકોને રસીનો પ્રથમ અને 104747 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27978 નાગરિકોને રસીનો પ્રથમ અને 282956 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 426516 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 74180817 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube