ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 21 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,147 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,01,026 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 168 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 163 સ્ટેબલ છે. 8,16,147 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 9 કેસ આવ્યા છે. વલસાડમાં 5 કેસ આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 4 કેસ આવ્યા છે. નવસારીમાં 2 કેસ આવ્યા છે. સુરતમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ અને ખેડામાં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે કુલ 24 કેસ આવ્યા છે.


ડ્રગ્સનો એડિક્ટ થયો આ ક્રિકેટર, જાણો કોણ પહોંચાડતું હતું તેના સુધી આ માદક પદાર્થ; પેડલર સહિત બે પોલીસ સકંજામાં


ત્રણ સેકન્ડમાં જ મળ્યું મોત, ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ


મામા પોર્ન વીડિયો જોવાના હતા શોખીન, સગી ભાણી સાથે આ હરકત કરી સંબંધોને કર્યા તાર તાર


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ જ્યારે 1856 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 15870 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 61274 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 56150 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,65,868 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,01,026 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,86,23,024 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube