અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1101 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1135 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 26272 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 404.18 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1101 દર્દી નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાનપુરમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, દીપડાએ 1 મહિનામાં 3 બાળકોને ફાડી ખાધા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,80,509 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,79,126 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1383 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.


અમદાવાદ: સસરાનું મોત થતા બાપુનગરમાં જમાઇએ કહ્યું તારો બાપ મરી ગયો 10 લાખ કોણ આપશે?


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14448 લોકો સ્ટેબલ છે. 52827 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2629 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 6, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, જુનાગઢ 2, કચ્છ 2, વડોદરા કોર્પોરેશનનાં 2, અમરેલી 1 અને ગાંધીનગર કોર્પોરેશનનો 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે 23 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર