અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે કાલે રક્ષાબંધન અને આજનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1034 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરોના ઘન કચરાના સેગ્રીગેશન દ્વારા નિકાલ અને સસ્તી ઉર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીની અપીલ


રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 377.98. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી નોંધાયા છે. આજે 917 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. 


instagram આઇડી બનાવી યુવતીની બિભત્સ તસ્વીરો મુકી બળાત્કારની ધમકી આપનારની ધરપકડ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,85,059 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,83,653 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1406 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.


રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનાર યુવતીને તેના જ પિતાએ મારી નાખી


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2584 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, રાજકોટ 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડના 1નો સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર