Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડાની તાકાત વધી રહી છે. દરિયાઈ તોફાન હવે કાંઠાની વધુ નજીક આવી રહ્યું છે. તેની અસરો પણ શરૂ થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ખતરો પણ વધ્યો છે. ગુજરાતના કેટલાક બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવાયું છે. ત્યારે આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે. વાવાઝોડા અંગે તેમની આ આગાહી અત્યંત ડરામણી છે. કારણ કે, તેઓએ લોકોને બિપોરજોય વાવાઝોડાને હળવાશથી ન લેવા જણાવ્યું છે. 


શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની ચક્રવાતની ચેતવણી : ઓરેન્જ એલર્ટ જાહેર, ગોમતી ઘાટના પથ્થરો ઉખડ્યા


એસટી વિભાગને સતર્ક રહેવા જણાવ્યું
ચક્રવાત બિપરજોયને લઈ એસટી વિભાગ દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. એસટી માટે ડીઝલનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. તેમજ દરિયા કિનારાના રૂટ પર જીપીએસથી નજર રાખવા સૂચના અપાઈ. રાત્રી બસો પાર્ક કરાવવા, ક્રેન અને ટ્રક તૈયાર રાખવા સૂચના અપાઈ. તેમજ હોર્ડિંગ ઉતારવા, ડિઝલ ટેંક સાચવવા સહિતના સૂચનો અપાયા. 


અડધી રાતે હર્ષ સંઘવીએ વાવાઝોડા માટે દ્વારકામાં કરી બેઠક, આ આદેશ છૂટ્યા