મૈલિક ધામેચા/અમદાવાદ :કોરોનાના સમાચાર વચ્ચે અમદાવાદ (Ahmedabad)માં ક્રાઈમની ઘટના બની છે. શંકાશીલ પ્રેમિકાનું પ્રેમીએ  ગળુ દબાવીને હત્યા (murder) કરી છે. એટલું જ નહિ, તેણે પ્રેમિકાની લાશ બેગમાં મૂકીને ઘર બંધ કરી લીધું હતું. તેના બાદ તે ઉદયપુર ફરાર થઈ ગયો હતો. પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી ફરાર થનારો પ્રેમી આખરે પોલીસ પકડમાં આવ્યો છે. 


આ કિડની હોસ્પિટલમાં એન્ટ્રી ત્યારે જ મળે છે, જ્યારે કોઈ ટનલમાંથી નીકળે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, રાજસ્થાનના મૂળ રહેવાસી અનુરાગસિંહ ભદૌરિયા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હતો. ફેસબુકના માધ્યમથી તે રાજસ્થાનની કિરણ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ પરિવારને તેમનો સંબંધ મંજૂર ન હોવાથી બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. બંને નરોડોના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા હતા. બંનેના પરિવારોને આ વાતની જાણ ન હતી. થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યો હતો. કિરણ અનુરાગસિંહ અને તેના પરિવાર વિશે અભદ્ર વાતો કરવા લાગી હતી. વારંવારની વાતોથી કંટાળીને અનુરાગે કિરણનું ગળુ દબાવીને તેની હત્યા કર હતી. ત્યાર બાદ તેની લાશને બેગમાં ભરી હીત. એટલું જ નહિ, તે લાશ ભરેલી બેગ ઘરમાં મૂકીને જ જતો રહ્યો હતો. જેના બાદ તે ઉદયપુર ભાગી ગયો હતો. 


અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પોતાની સેફ્ટીને લઈને ઉઠાવ્યા સવાલ  


પ્રેમિકાની હત્યા કરી લાશ બેગમાં ભરી પ્રેમી ફરાર થયો હતો. રાજસ્થાન પહોંચી ગયેલા હત્યારાને  અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. નરોડા પોલીસે હત્યારા યુવકને રાજસ્થાનથી ઝડપી પાડીને જેલને હવાલે કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર