મુસ્તાક દલ, જામનગર: ખુદ શાસકપક્ષ ભાજપના નગરસેવિકાનો મનપાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ (BJP) ના નગરસેવિકા રચના નંદાણીયાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો. રેકડી ધારકો સામે મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની દાદાગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


( બે દિવસ પહેલા જ્યારે રેકડી છોડાવી ત્યારની તસવીર)


તેમણે કહ્યું કે દરરોજ સંખ્યાબંધ રેકડીઓ અને વજનકાંટા ખોટી રીતે કબ્જે કરવામાં આવે છે. નગરસેવિકાએ એસ્ટેટના બંને અધિકારીઓને ડોન ગણાવ્યાં. એસ્ટેટના બંને અધિકારીઓની દાદાગીરીને કારણે રેકડી ધારકો ભારે પરેશાન છે. મનપાના અધિકારીઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા નગરસેવિકાએ રેકડી ધારકોને હાકલ કરી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube