cockroach in US pizza Jamnagar મુસ્તાક દલ/જામનગર : જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાક ની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી ત્યારે આજે પટેલ કોલોની પાસે આવેલ યુ.એસ પીઝામાંથી વંદો નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે. મનપાની ફુડ શાખા દ્વારા યુએસ પિઝાને પાંચ દિવસ માટે તાળા મારવાનો આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના પટેલ કોલોની પાસે આવેલ નામાંકિત યુએસ પિઝામાં ગયેલા મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની કચેરીમાં સિક્યુરિટી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને એક્સ આર્મીમેનના પરિવારે પીઝાના ઓર્ડર કર્યા બાદ પીઝામાં વંદો નજરે પડતાં ચોકી ઉઠ્યા હતા અને મેનેજમેન્ટ ને જાણ કરી હતી. 


અમદાવાદથી પસાર થતી 200 ટ્રેનના સમયમાં આવતીકાલથી ફેરફાર, બુકિંગ કરતા પહેલા સમય જાણો


મેનેજમેન્ટ એ આ બાબતે માફી પણ માંગી લીધી પરંતુ બીજા કોઈ લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે એક્સ આર્મી મેને પોતાની જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી સૌપ્રથમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાને જાણ કરી હતી ત્યારબાદ જામનગરની ફૂડ શાખાને આ અંગે જાણ કરી અને ફૂડ શાખા યુએસ પિઝામાં ચેકિંગ માટે પહોંચી હતી.


ડ્રગ્સના ખતરનાક ખેલનો પર્દાફાશ : પુસ્તક-રમકડામાં મૂકીને કુરિયરમાં મંગાવાતું ડ્રગ્સ


જામનગર ફ્રુડ શાખાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી છે તેમ લોકોમાં ચર્ચા ઉઠી છે જોકે હાલ તો જામનગરના યુએસ પિઝામાં હાઇજેનિક કન્ડિશનમાં ખામી જણાતા ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરી પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને કામગીરી કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે જામનગરમાં અવારનવાર દુકાનોમાં દ્વારા દરોડા પાડતી ફુડ શાખા દ્વારા છાશ વાલા અને યુ એસ પિઝા સામે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવશે.


અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, 13મા માળથી પટકાતા 3 શ્રમિકના મોત