રક્ષિત પંડ્યા, રાજકોટ:  રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે છેલ્લા 12 દિવસમાં રાજકોટમાં 400 થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઇ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોર પાદરીયાએ આરોગ્ય વિભાગ અને તેની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિશોર પાદરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંક છૂપાવવામાં આવી રહ્યા છે અને યોગ્ય ટેસ્ટિંગ પણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી રહ્યું નથી. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પદાધિકારીઓ માહિતી માંગતા હોવા છતાં તેમને પૂરતી માહિતી આપવામાં આવી રહી નથી. સાથે જ જિલ્લામાં ગ્રામ્ય લેવલે હાલમાં પ્રાથમિક શાળાઓ બંધ છે જ્યાં બેડ ની વ્યવસ્થા કરી પ્રાથમિક સારવાર આપી શકાય તે પ્રકાર ની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટર ને લેખિત તથા મૌખિક માંગ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા એ પણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી આરોગ્ય વિભાગના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાની ફરિયાદ કરી હતી..


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube