અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ઇઝરાયલના પ્રવાસ પર છે. ગુરુવારે તેમની મુલાકાત ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે થઈ હતી. આ મુલાકાત પછી તેમણે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપશે અને આ વિશે ટૂંક સમયમાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...