ઝી મીડિયા/બ્યૂરો :ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા વિવાદ હંમેશા વકરતો રહ્યો છે. પાકિસ્તાન હવે પોતાની હદ વટાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન નવો નક્શો (pakistan map) જાહેર કર્યો, જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જુનાગઢ (junagadh) ને પણ પોતાનો ભાગ હોવાનો દાવો ઠોક્યો છે. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ભર્યુ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરથી ભારત સરકારના આર્ટિકલ 370 હટાવ્યાને એક વર્ષ પૂરુ થવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા જાહેર પાકિસ્તાનનો કથિત રાજનીતિક માનચિત્ર એ એ વાતનું ઉદાહરણ છે કે, પાકિસ્તાનના પીએમ જમીની હકીકતને લઈને બહુ જ નિરાશ છે. પાકિસ્તાન ક્યારેય ભારતની એકતા અને અખંડતતાને નબળુ કરવાના પોતાના દુષ્ટ હેતુમાં સફળ નહિ થાય. પાકિસ્તાનની આ અપ્રિય છે. ગુજરાત પાકિસ્તાનની આ હરકતની નિંદા કરે છે. 


ભાવનગર : દર્દીના મોતથી પરિવારે હોબાળો કરતા તબીબો હડતાળ પર ઉતરી ગયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર