Rajkot News : રાજકોટ શહેરમાં માનવામાં ન આવે તેઓ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાની દિલ્લી ફ્લાઇટ સમયસર ટેકઓફ ન થઇ. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ બીજા પાયલોટની વ્યવસ્થા ન થતા ગઈકાલ રાતથી આ ફ્લાઈટ એરપોર્ટ પર જ રહી, અને ઉડાન ન ભરી શકી. આજે સવારે દિલ્હીથી પાયલોટ આવશે ત્યારબાદ આ ફ્લાઇટ ઉડાન ભરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતું કે, ગત રવિવારે રાજકોટ એરપોર્ટ પર રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય પર હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ દિલ્હીથી આવેલા મુસાફરો પ્લેનમાંખી ઉતરી ગયા હતા અને દિલ્હી જનારા મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. પરંતુ અહી જોવા જેવી થઈ હતી. કારણે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટના મુખ્ય પાઇલટના કામના કલાકો પૂરા થઇ ગયા હતી. તેની શિફ્ટ પૂરી થઈ હતી. તેથી તેણે ફરીથી ફ્લાઈટ દિલ્હી લઇ જવાની ના પાડી હતી. 


આ દિવસે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હવામાન વિભાગની આગાહીમાં મળ્યો જવાબ


આ બાજુ, પાયલટને મનાવવાનો પૂરતો પ્રયાસ કરાયો, પરંતુ વાત બની ન હતી. પાઈલટ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. આખરે આખી ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી. અંતે રવિવારે રાત્રે 11 વાગ્યે આ ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા. આખરે રાતે 11 વાગ્યે મુસાફરો અટવાયા હતા. જેથી નિર્ણય લેવાયો કે, સોમવારથી દિલ્હીથી બીજો પાયલટ આવે ત્યારે જ ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, હજી સુધી આ ફ્લાઈટે ઉડાન ભરી નથી.


કેનેડામાં અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, દીકરાના મોતથી પટેલ પરિવારમાં માતમ


જોવા જેવી તો ત્યારે થઈ હતી, જ્યારે આ ફ્લાઈટમાં ગુજરાતના ત્રણ સાંસદો પણ અટવાયા હતા, જેઓ દિલ્હી જવા નીકળ્યા હતા. આ ફ્લાઈટમાં 100 મુસાફરોની સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ પણ હતા, જેઓને દિલ્હીમાં જવાનુ હતું. પરંતુ પાયલટની જીદ સામે સાંસદો પણ કંઈ કરી શક્યા ન હતા. 


પરિવારની નજર સામે તણાયેલા પિતાનો ચમત્કારિક બચાવ, ઈશ્વરે મને મોત બતાવીને નવજીવન આપ્યુ