ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરની ટીવી ચેનલ બંધ થતા પતિએ બાળકને માર માર્યો અને પત્નીએ છરી મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં પત્નીએ છરીના ઘા ઝીંકીને પતિની હત્યા કરી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માત્ર ટીવી ચેનલ બંધ થઈ જતા પતિએ દિકરાને માર માર્યો હતો. જે જોઈને પત્ની દિકરાને બચાવવા જતા પતિ પર છરીથી હુમલો કર્યો હતો. જેમા પતિનું મોત નીપજયુ છે. સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે. ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે પત્નીને જેલ જવાનો વારો આવ્યો છે. જ્યારે પતિએ જીવન ગુમાવવું પડ્યું છે. જયારે ત્રણ સંતાનોને માતા-પિતાની છત્રછાયા ખોવી પડી છે. હાલમાં સોલા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ 'મેં મૂસેવાલાની હત્યા કરી છે', AIMIM ના ગુજરાત અધ્યક્ષને મળી જાનથી મારી નાખવાની ધમકી


ઘટનાની વાત કરીએ તો ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ પોતાના પત્ની દીપમાલા એક દીકરો તથા 2 દીકરી સાથે રહેતા હતા. હત્યાના દિવસે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી. તો તે પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યા હતા. દીકરાને મારમાંથી છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. અને આ દરમિયાન પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિની છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તેનું મોત નિપજયું હતું.


મૃતક વિજયસિંહ યાદવ મૂળ હરિયાણાના રહેવાસી છે. વિજયસિંહ અને દિપમાલાના લગ્ન 19 વર્ષ પહેલા થયા હતા. ત્રણ સંતાન સાથે સુખી જીવન જીવતા હતા. વિજયસિંહ યાદવ એ.એમ.ટી.એસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોઈ કારણથી 15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. તેઓ ઘરે બેકાર હતા. આ બેકારીના કારણે વિજયસિંહ પોતાની પત્ની અને બાળકોને સતત માર મારતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube