Mosquito Coil: વરસાદી વાતાવરણ પછી મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. હાલના સમયમાં જ ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા ફેલાવતા મચ્છર વધી ગયા છે. આ સમસ્યાથી બચવા માટે લોકો અલગ અલગ ઉપાય અજમાવતા હોય છે. જેમાં સૌથી વધારે મોસ્કિટો કોઈલ એટલે કે મચ્છર ભગાડતી અગરબત્તી સળગાવવામાં આવે છે. ઘરમાં અગરબત્તી સળગાવો એટલે તેના કારણે જે ધુમાડો થાય છે તે મચ્છરને તુરંત ભગાડે છે. પરંતુ મચ્છરની આ અગરબત્તી માણસો માટે પણ ખતરનાક છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ વસ્તુઓથી નસોમાં જામે છે બેડ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થઈ જાય તે પહેલા ખાવાનું કરો બંધ


મોસ્કિટો કોઈલથી થતા નુકસાન 


અનેક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મોસ્કિટો કોઈલ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તે એક નહીં પરંતુ અનેક સિગરેટ પીધા સમાન હોય છે. આ કોઈલમાં ઘણા બધા કેમિકલનો ઉપયોગ થયો હોય છે જે સળગ્યા પછી ધુમાડો બને છે અને માણસના ફેફસા સુધી પહોંચી જાય છે. આ ધુમાડાની અસર લાંબા સમયે જોવા મળે છે. 


આ પણ વાંચો: આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી


જે લોકો નિયમિત ઘરમાં મોસ્કિટો કોઈલ સળગાવતા હોય અને આ ધુમાડામાં રહેતા હોય તેમને ભવિષ્યમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમાં અસ્થમાનો પણ સમાવેશ થાય છે. મોસ્કિટો કોઈલના ધુમાડાના કારણે ઘણા લોકોને સ્કીન એલર્જી પણ થવા લાગે છે. નિષ્ણાંતો અનુસાર મોસ્કિટો કોઈલનો ધુમાડો એટલો ઝેરી હોય છે કે તે માણસના મગજને પણ નુકસાન કરી શકે છે. મોસ્કિટો કોઈલ માણસ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. તેનો ઝેરી ધુમાડો હોવાને દૂષિત અને ટોક્સિક બનાવે છે. 


આ પણ વાંચો: Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય


મચ્છર ભગાડવાનો સેફ વિકલ્પ


મચ્છર ભગાડવા માટે મોસ્કિટો કોઈલ એક માત્ર વિકલ્પ નથી તમે હેલ્થ માટે સેફ હોય તેવા અન્ય વિકલ્પ પસંદ કરી શકો છો. મચ્છર ભગાડવાના ઇલેક્ટ્રીક મશીન પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ સિવાય તમે ઘરેલુ ઉપાયોની મદદથી પણ મચ્છરથી છુટકારો મેળવી શકો છો. ઘરમાં અને ઘરની આસપાસ સાફ-સફાઈનું ધ્યાન રાખવાથી પણ મચ્છરનો ઉપદ્રવ ઘટી જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)