How To Control Blood Sugar: ડાયાબિટીસની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે પરંતુ તેને જળમૂળથી મટાડી શકાતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે તમે ડાયાબિટીસના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


તાવ આવે ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન, નબળાઈ થશે દુર અને વધશે શરીરમાં એનર્જી


વાયરલ બીમારીઓ નહીં ફરકે તમારી નજીક પણ, આજથી લેવાનું શરુ કરો આ 5 વસ્તુઓ


Arthritis Pain: ગઠિયાના દુખાવાથી છો પરેશાન ? તો આ આદતો બદલો, દુખાવાથી મળશે રાહત


આખા અનાજ ખાવા


ડાયાબિટીસથી બચવા માટે રિફાઇન્ડ અનાજને બદલે આખા અનાજનું સેવન શરૂ કરવું જોઈએ. રિફાઇન્ડ અનાજની સરખામણીમાં આખા અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તે સુગર સ્પાઈકને ઘટાડે છે. તેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાય છે.


મીઠી વસ્તુથી દૂર રહો


ડાયાબિટીસથી બચવું હોય તો સૌથી જરૂરી છે કે તમે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ફળના રસ મીઠાઈ વગેરેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એક સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ખાંડ યુક્ત આહાર લે છે તેને ડાયાબિટીસ થવાનું જોખમ ૩૦ ટકા વધી જાય છે.


કસરત કરો


ડાયાબિટીસથી બચવું હોય તો નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે અને તેનાથી વધતું વજન પણ અટકે છે.


આ પણ વાંચો: 


આહારમાં આ 5 વસ્તુઓ લેવાનું કરો શરુ, નિયમિત લેવાથી મહિલાઓની વધી શકે છે ફર્ટિલિટી


હાર્ટ, સ્કિન, વજન બધા માટે બેસ્ટ છે મખાના, નિયમિત ખાવાથી થાય છે આ 6 ફાયદા


આ લક્ષણો જોવા મળે તો સમજી જાજો હાર્ટની નસો થઈ ગઈ છે બ્લોક, આવી શકે છે એટેક


ઊંઘ પૂરી કરો


ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ હોઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવું હોય તો નિયમિત રીતે સારી ઊંઘ કરવી જરૂરી છે. ડાયાબિટીસથી બચવા માટે રોજ સાતથી આઠ કલાકની નીંદર કરવી ખૂબ જ જરૂરી છે.


સવારે નાસ્તો


સવારનો નાસ્તો ડાયાબિટીસથી બચાવી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું તેનાથી મેટાબેલીઝમ પર પણ અસર થાય છે અને બ્લડ સુગર લેવલ પણ પ્રભાવિત થાય છે. તેથી સવારનો નાસ્તો હંમેશા કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)