વાયરલ બીમારીઓ નહીં ફરકે તમારી નજીક પણ, આજથી લેવાનું શરુ કરો આ 5 વસ્તુઓ

Immunity Booster Foods: આ સિઝનમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને શરદી ઉધરસ જેવી સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા દેશભરમાં વધી રહી છે. વાતાવરણમાં થતા સતત ફેરફારની અસરના કારણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ઝડપથી બીમાર પડે છે.

વાયરલ બીમારીઓ નહીં ફરકે તમારી નજીક પણ, આજથી લેવાનું શરુ કરો આ 5 વસ્તુઓ

Immunity Booster Foods: એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે તેમ છતાં દેશભરમાં વાતાવરણમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં કયો મોસમી વરસાદના કારણે વાતાવરણની સ્થિતિ બદલી રહી છે. આ સિઝનમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને શરદી ઉધરસ જેવી સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા દેશભરમાં વધી રહી છે. વાતાવરણમાં થતા સતત ફેરફારની અસરના કારણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ઝડપથી બીમાર પડે છે. આવી સ્થિતિમાં જો તમારે શરદી ઉધરસ જેવા વાઈરલ રોગોથી બચવું હોય તો આજથી જ નીચે દર્શાવેલા પાંચ ફૂડનું સેવન શરૂ કરી દો. આ વસ્તુઓ એવી છે જે શરીરને રોગપ્રતિકારક શક્તિને રોકેટ ગતિએ વધારે છે. 

આ પણ વાંચો: 

ખાટા ફળ

આ ઋતુ દરમિયાન જો શરીરને રોગપ્રતિકારક શક્તિને વધારવી હોય તો ખાટા ફળનું સેવન શરૂ કરી દેવું. ખાટા ફળમાં સંતરા લીંબુ દ્રાક્ષ જેવા ફળનો સમાવેશ થાય છે. આ ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે અને ઇમ્યુન સિસ્ટમ માટે વિટામિન સી જરૂરી હોય છે. વિટામીન સી શરીરમાં સફેદ રક્ત કોષિકાઓનું ઉત્પાદન વધારે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

લસણ

લસણમાં જીવાણુરોધી એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન નામનું યોગિક હોય છે જે સફેદ રક્તકોશિકાને વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.

આદુ

આદુમાં જીંજરોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. તેમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તે સફેદ રક્ત કોષિકાના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લીલા પાનવાળા શાકભાજી

પાલક, બ્રોકલી જેવા લીલા શાકભાજીનું સેવન આ સમય દરમિયાન વધારે કરવું જોઈએ. આવા શાક એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે ઇમ્યુમ સિસ્ટમને મજબૂત કરે છે. તેમાં આયરન અને કેલ્શિયમ પણ વધારે હોય છે.

બેરીઝ

બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી જેવી બેરીઝ પણ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તે શરીરને વાયરલ રોગોથી થતા નુકસાનથી બચાવે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને રોગમુક્ત રાખે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news