પંબા: પંબામાં રવિવારે સવારે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ જ્યારે 50 વર્ષથી પણ ઓછી આયુની 11 મહિલાઓના એક સમૂહે ભગવાન અયપ્પા મંદિરમાં પહોંચવાની કોશિશ કરી. શ્રદ્ધાળુઓએ આ મહિલાઓનો ખુબ વિરોધ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના એક સમૂહે મંદિર પરિસરમાં લગભગ પાંચ કિલોમીટર દૂર પરંપરાગત વન પથના માધ્યમથી અયપ્પા મંદિર પહોંચવાની કોશિશ કરી પરંતુ શ્રદ્ધાળુઓના વિરોધના કારણે તે આગળ વધી શક્યા નહીં. નિષેધાત્મક આદેશની ટીકા કરતા સેંકડો શ્રદ્ધાળુઓ અહીં ભેગા  થયા અને તેમણે ભગવાન અયપ્પાના ભજન જોર જોરથી ગાવાના શરૂ કરી દીધા. ચેન્નાઈના માનિથી સંગઠનની આ મહિલાઓ સતત વિરોધ બાદ સવારે 5.20 વાગ્યાથી રસ્તા પર બેસી ગઈ છે. પોલીસે તેમની આજુબાજુ ઘેરાબંધી કરી લીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...