નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરથી દેશની ખરાબ થયેલી સ્થિતિ પર હવે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહી છે. હવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi) એનસીપી સુપ્રીમો શરદ પવાર  (Sharad Pawar) સહિત વિપક્ષના 12 દળોના નેતાઓએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને સંયુક્ત પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને આપ્યા પાંચ સૂચન
આ પત્રમાં પીએમ મોદીને કોરોના વેક્સિન (Corona Vaccine) નું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટના નિર્માણ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સિવાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ બધા ઉપલબ્ધ સ્ત્રોત (વૈશ્વિક અને ઘરેલૂ) નો ઉપયોગ કરી વેક્સિનની ખરીદમાં તેજી લાવવી જોઈએ અને વેક્સિન પેટેન્ટને રદ્દ કરવા તેના નિર્માણ માટે લાયસન્સ જાહેર કરવા જોઈએ. 


CM મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- Corona Vaccine બનાવવામાં દુનિયાની લો મદદ, અમે જમીન આપવા તૈયાર  


બેરોજગારોને આપવામાં આવે 6000 રૂપિયા
વિપક્ષી નેતાઓએ કહ્યું, બધા બેરોજગાર લોકોને 6  હજાર રૂપિયા મહિને આપવામાં આવે. જરૂરીયાત મંદ લોકોને કેન્દ્ર સરકારના અન્નથી ભરેલા ગોડાઉનમાંથી અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે. ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે જેથી લાખો અન્નદાતા મહિમારીથી બચી શકે અને ભારતીય નાગરિકોને ખવડાવવા માટે અન્ન ઉત્તપન કરી શકે. વિપક્ષના મુખ્ય નેતાઓએ કહ્યું કે, અમે આશા કરીએ કે ભારત અને આપણી જનતાના હિતમાં આ સૂચનોની તમારા તરફથી પ્રશંસા કરવામાં આવશે. 


12 વિપક્ષી પાર્ટીઓના આ નેતાઓએ લખ્યો પત્ર
જે 12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, એચડી દેવગૌડા, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન, જેએમએમ ચીફ હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી રાજા અને સીપીએમના મહાસચિવ સીતારામ ચેયુરી સામેલ છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube