નવી દિલ્હી: છેલ્લા 10 મહિનાથી કોરોના વાયરસના સંક્રમણનો માર ઝેલી રહેલા દેશના લોકો માટે સારા સમાચાર છે. લોકોની પરેશાનીનું કારણ બની ચૂકેલો કોરોના હવે દમ તોડવા લાગ્યો છે એવું જણાઈ રહ્યું છે. સરકારના પ્રયાસો અને લોકોની જાગરૂકતાના કારણે હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News


24 કલાકમાં કોરોનાના 26 હજાર 567 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,567 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 97,03,770 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 3,83,866 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 91,78,946 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 385 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 1,40,958 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 39,045 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 


Corona Vaccine: Serum Institute એ માંગી Covishieldના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી


ગુજરાતમાં નવા 1380 કેસ, 14 લોકોનાં મોત નિપજ્યાં
સોમવારે રાજ્યમાં નવા 1380 કોરોના દર્દી નોંધાયા. રાજ્યમાં 1568 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,01,580 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.56 ટકા થયો છે. ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1059.51 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube