Compensation Claim: તમને જાણીને નવાઈ લાગશે પણ રતલામ જિલ્લા કોર્ટમાં એક આદિવાસી યુવકે શિવરાજ સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ યુવકે રૂપિયા માંગવાનું કારણ એવું જણાવ્યું છે કે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ યુવકે જેલમાં બંધ હોવા દરમિયાન સામાજિક, પારિવારિક માનહાનિ અને શારીરિક ત્રાસ બદલ વળતરની રકમની માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસી વ્યક્તિએ પોતાના વકીલ દ્વારા મધ્યપ્રદેશ સરકાર અને પોલીસ પર આ દાવો કર્યો છે. ગેંગરેપના ખોટા કેસમાં આ વ્યક્તિને 2 વર્ષની જેલની સજા ભોગવવી પડી હતી. કોર્ટે હવે તેને સન્માન સાથે નિર્દોષ જાહેર કર્યો છે. તેનું કહેવું છે કે નિર્દોષ હોવા છતાં તેણે સજા ભોગવી. તેના માટે વળતરનો દાવો કર્યો. આ કેસની સુનાવણી 10 જાન્યુઆરીએ થશે.


આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time


રતલામના ઘોરખેડાના રહેવાસી કાંતિલાલ સિંહ ઉર્ફે કાંતુને 2 વર્ષ પહેલા ગેંગરેપ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રતલામે હવે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. કાન્તુના કહેવા પ્રમાણે નિર્દોષ હોવા છતાં તેને 2 વર્ષ સુધી જેલની યાતનાઓ સહન કરવી પડી હતી. પરિવારમાં માત્ર તે એક જ કમાનાર હોવાથી તેના પરિવારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત આ આરોપના કારણે તેની કારકિર્દી પણ બરબાર થઈ ગઈ છે. પરિવાર સહિત તેને જે શારીરિક અને માનસિક સ્થિતિનો સામનો કરવો પડ્યો, તે પ્રમાણે દિવસના હિસાબ મુજબ 1-1 કરોડનું વળતર જોઈએ. કાંતુ વતી એડવોકેટ વિજય સિંહ યાદવે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓ સામે 10 હજાર કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો છે.


વકીલે કહ્યું- માનવ જીવન કિંમતી છે, તેથી હજારો કરોડનો દાવો કર્યો
એડવોકેટ વિજય સિંહ યાદવ કહે છે કે માનવ જીવનની કોઈ કિંમત નક્કી કરી શકાતી નથી. પોલીસ અને રાજ્ય સરકારના કારણે કાંતુનું જીવન બરબાદ થઈ ગયું. નિર્દોષ હોવા છતાં તેમને 2 વર્ષ સુધી જેલની યાતનાઓ વેઠવી પડી હતી. કાંતુના પરિવારમાં વૃદ્ધ માતા મીરા, પત્ની લીલા અને 3 બાળકો છે. તે દરેકની સંભાળ રાખવા માટે જવાબદાર છે. કાન્તુની લાંબી અટકાયતને કારણે તેનો પરિવાર ભૂખે મરતો હતો. બાળકો ભણવાનું ચૂકી ગયા. તેને સમાજમાં પાછા આવવા અને રોજગાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર દાવો કરવામાં આવ્યો છે. તેમજ સમાજને એક સંદેશ આપવા માંગે છે કે મહિલાઓએ તેમના અધિકારોનો દુરુપયોગ ન કરવો જોઈએ. આ ઘટનામાં યુવક દ્વારા વળતર માટે એક ચોંકાવનારું કારણ પણ આપ્યું હતું, જેમાં તેનું કહેવું છે કે, તે જેલવાસના બે વર્ષ દરમિયાન શારીરિક સુખ પણ માણી શક્યો ન હતો. જેના કારણે સરકારે 10 હજાર કરોડનું વળતર ચુકવવું પડશે.


આ પણ વાંચો: Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
આ પણ વાંચો: ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો આજે જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ,ચાંદ જેવો ચમકશે ચહેરો
આ પણ વાંચો: રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ


આ કિસ્સો છે...
મામલો 18 જાન્યુઆરી 2018નો છે. પીડિતાએ બજના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે તે બપોરે 12 વાગ્યે ઘરે હતી. તે સમયે કાંતુ અમાલિયાર ઘરે આવ્યો અને કહ્યું કે તે મને ભાઈના ઘરે મૂકવા આવશે. હું તેની સાથે બાઇક પર ગઈ. કાંતુને તેના ભાઈના ઘરે લઈ જવાને બદલે તેને ઘોરખેડાના જંગલમાં લઈ ગયો. ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો. આ પછી તેણે ભૈરુ સિંહને બોલાવ્યો અને મને તેના હવાલે કરી. ભૈરુ ગમનાકા માણસાના રહેવાસી છે. ભૈરુ તેને ઈન્દોર લઈ ગયો. 6 મહિના સુધી સાથે રાખ્યા. દરમિયાન તેણે સતત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ભૈરુએ મને સરપંચને સોંપી એ મને અહીં ચોડી ગયો હતો. બાદમાં સમગ્ર ઘટના તેને પતિને જણાવી હતી.


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube