નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં એમ્સ (AIIMS) ના ડૉ. સુધીર ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે હત્યા કે આત્મહત્યાનું તારણ કાઢવું ખુબ મુશ્કેલ છે. તેમણે આ કેસમાં વધુ ફોરેન્સિક તપાસની જરૂરિયાત જણાવી છે. સીબીઆઈને રિપોર્ટ સોંપવા બાબતે તેમણે કહ્યું કે પુરાવાના આધારે CBIને આ રિપોર્ટ સોંપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!


અત્રે જણાવવાનું કે ડૉક્ટર સુધીર ગુપ્તા (Sudhir Gupta)  એ પાંચ ડૉક્ટરોની ટીમમાં સામેલ હતા જેમણે સુશાંત સિંહ રાજપૂતનો ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ બાજુ સીબીઆઈની ટીમ એમ્સથી વિસરાના વધેલા સેમ્પલ સહિત બાકી સાયન્ટિફિક સેમ્પલ પોતાની સાથે લઈ ગઈ. સીબીઆઈ હવે આ સેમ્પલની તપાસ અન્ય મોટી ફોરેન્સિક લેબમાં પણ કરાવશે. 


AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર


સિંહે વધુમાં કહ્યું કે અમારું પહેલેથી એ સ્ટેન્ડ હતું કે અમારી તપાસ પ્રોફેશ્નલ હતી અને કૂપરના ડૉક્ટરોએ પણ સારું કામ કર્યું. અમે અમારા તમામ તપાસ રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધા છે. અમારું કામ પ્રોફેશ્નલ છે. ADRની તપાસમાં છ મહિના લાગે છે અને કોઈ વિલંબ નહતો. AIIMSના રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાનો અને આત્મહત્યાની વાત છે. સીબીઆઈની તપાસ વિશે ખબર નથી, પ્રોફેશ્નલ એજન્સી છે. 


'સામના'માં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્રના 'લીરેલીરા', શિવસેનાએ લગાવ્યા અનેક ગંભીર આરોપ


શિવસેના નેતા સંજય રાઉતે પણ સાધ્યું નિશાન
સુશાંત કેસમાં સીબીઆઈ તપાસ પર થઈ રહેલા સવાલો પર શિવસેનાના નેતા સંજય રાઉતે પણ નિશાન સાધ્યું. રાઉતે આજે કહ્યું કે 'પહેલા મુંબઈ પોલીસ પર ભરોસો નહતો તો સુપ્રીમ કોર્ટ ગયા અને તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ. હવે સીબીઆઈ પર ભરોસો નથી. પછી ઈન્ટરનેશનલ કોર્ટ, સીઆઈએ કે પછી કેજીબી પાસે જાઓ. રાઉતે કહ્યું કે આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકાર, પોલીસ અને ઠાકરે પરિવારને બદનામ કરવાની કોશિશ થઈ.' 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube