નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. સિંગાપુરની એક હોસ્પિટપલમાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમર સિંહ સપાના પૂર્વ મહાસચિવ રહ્યાં છે અને સાથે રાજ્યસભા સાંસદ પણ. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના ખુબ નજીક રહ્યાં. અમર સિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીમાં નંબર-ટુ હતા. પરંતુ 2010મા પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું હતું. બાદમાં તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમર સિંહના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, તેઓ ખુબ ઉર્જાવાન નેતા હતા અને તેમણે છેલ્લા કેટલાક દાયકાથી દેશની રાજનીતિમાં મહત્વના ચઢાવ-ઉતાર નજીકથી જોયા છે. તેઓ પોતાના જીવનમાં મિત્રતા માટે જાણીતા રહ્યાં છે. તેમના નિધનના સમાચાર સાંભળીને દુખી છું. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે ઉંડા દુખની લાગણી પ્રગટ કરુ છું. 


બોલીવુડ અને સત્તાના 'લાડલા' અમર સિંહની મુલાયમ સાથે દોસ્તીની કહાની  


સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યુ- શ્રી અમર સિંહજીના સ્નેહ-સાનિધ્યથી વંચિત થવા પર ભાવપૂર્ણ સંવેદના અને શ્રદ્ધાંજલિ..


श्री अमर सिंह जी के स्नेह-सान्निध्य से वंचित होने पर भावपूर्ण संवेदना एवं श्रद्धांजलि.

Posted by Akhilesh Yadav on Saturday, August 1, 2020

તો કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધીએ શોક વ્યક્ત કરતા લખ્યુ, ઈશ્વર શ્રી અમર સિંહજીની આત્મનાને પોતાના શ્રીચરણોમાં શરણ આપે. શ્રી અમર સિંહ જીના પરિવાર પ્રત્યે મારી ભાવપૂર્ણ સંવેદનાઓ. હું આ દુખદ ક્ષણમાં તેમના શોકાતુર પત્ની અને પુત્રીઓ પ્રત્યે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરુ છું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube