નવી દિલ્હી: આતંકવાદ પર લગામ કસવા માટે યુએપીએ  બિલ (UAPA) રાજ્યસભામાં રજુ કરાયું છે. લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. જેના પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નબળા કાયદાના કારણે દેશદ્રોહીઓને સજા મળી નથી. આતંકી યાસીન ભટકલને આતંકવાદી જાહેર કરાયો હોત તો તમામ પોલીસ સ્ટેશનોમાં તેની તસવીર અને ફિંગર પ્રિન્ટ હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના દુરઉપયોગની વાત ન કરે કારણ કે ઈમરજન્સીમાં શું કરાયું હતું? જરા તમારા ભૂતકાળને જુઓ. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની દલીલો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલમાં જ ચૂંટણી હારીને આવ્યાં છે તો તેમનો ગુસ્સો સ્વાભાવિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સળગતા કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જો PM મોદી ઈચ્છે તો...'


તેમણે કહ્યું કે સમજોતા એક્સપ્રેસમાં આરોપી પકડાયા. ત્યારબાદ છોડી મૂકાયા. ધર્મ વિશેષ અને નકલી મામલો બનાવીને એક ધર્મ વિશેષ લોકોને ટારગેટ કરીને પકડવામાં આવ્યાં. કારણ કે ચૂંટણી નજીક હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...