નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ જે ઝડપથી દિલ્હીમાં ફેલાઈ રહ્યું છે તેની ચિંતાઓની વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને અન્ય લોકો સાથે હાલાત પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ બેઠકમાં દિલ્હીમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, તપાસની સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય પાયાની માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહ, બૈજલ અને કેજરીવાલ ઉપરાંત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ તથા સ્વાસ્થ્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતાં. ગૃહ મંત્રીએ દિલ્હીના ત્રણ નગર નિગમોના મેયરો તથા અન્ય પદાધિકારીઓ સાથે સાંજે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ થશે. 


કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને કહ્યું કે દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલોના મોનિટરિંગ માટે એક કમિટી બનાવવામાં આવે. આ સાથે જ આગામી સપ્તાહ સુધી કોરોનાના દર્દીઓ માટે 20 હજાર વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે. કેટલીક હોટલો અને બેન્ક્વેટ હોલને આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાવા જોઈએ. 


Corona: હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા


અત્રે જણાવવાનું કે સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ દિલ્હીમાં શનિવારે 2134 નવા કેસ આવ્યાં. ત્યારબાદ હવે સંક્રમિતોની સંખ્યા વધીને 38,958 થઈ ગઈ છે. જ્યારે એક જ દિવસમાં 57 લોકોના મૃત્યુ થયાં. દિલ્હીનો કોરોનાથી મૃત્યુનો આંક વધીને 1271 થયો છે. આવું બીજીવાર બન્યું છે કે એક જ દિવસમાં સંક્રમણના 2 હજારથી વધુ કેસ આવ્યાં છે. આ અગાઉ શુક્રવારે 2137 કેસ સામે આવ્યાં હતાં. કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે અને તામિલનાડુ બીજા નંબરે છે. 


Covid-19 : દેશના આ 8 શહેરોમાં કોરોનાથી ચિંતાજનક સ્થિતિ, માત્ર 10 દિવસમાં એક લાખથી વધુ કેસ 


જ્યારે દિલ્હી કોરોનાના કેસના મામલે દેશમાં ત્રીજા નંબરે છે. શાહની ઓફિસ દ્વારા કરાયેલી એક ટ્વિટમાં કહેવાયું કે ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19ના સંદર્ભે સ્થિતિની સમીક્ષા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને એસડીએમએના સભ્યો સાથે 14 જૂનના રોજ સવારે 11 વાગે બેઠક કરશે. એમ્સના ડાઈરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તેના ગણતરીના કલાકો બાદ ગૃહમંત્રીના કાર્યાલય તરફથી જાહેરાત કરાઈ કે રવિવારે જ દિલ્હીના ત્રણેય નગરનિગમ ઉત્તર, દક્ષિણ અને પૂર્વના મેયરો અને ટોચના અધિકારીઓ સાથે અલગથી બેઠક થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube