મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી (Maharashtra Home Minister ) અનિલ દેશમુખે (Anil Deshmukh) આજે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત મામલે CBI ને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈને ભલામણ કરી છે કે, તેઓ જલદી એ વાત પરથી પડદો ઉઠાવે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: મોદી સરકારના કટ્ટર વિરોધી એવા આ દિગ્ગજ નેતાએ નવા કૃષિ કાયદાનું કર્યું સમર્થન, ખેડૂતોને કરી આ અપીલ 


અનિલ દેશમુખે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસના તપાસ રિપોર્ટના તારણો જલદી જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે, તપાસ શરૂ થયે 5 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સીબીઆઈએ હજુ પણ એ ખુલાસો કર્યો નથી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે તેમણે આત્મહત્યા કરી?


વર્ષ 2021 માટે Baba Venga ની ભવિષ્યવાણી... કેમિકલ હુમલાનો ખતરો!, આ 2 શક્તિશાળી રાજનેતા પર 'જીવનું જોખમ'


નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મુંબઈ સ્થિત પોતાના ઘરમાં 14 જૂન 2020ના રોજ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી પણ તપાસ કરી રહ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube