નવી દિલ્હી: દેશમાં ડુંગળી (Onion) ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં ડુંગળીના  ભાવ 200ને પાર જવાની તૈયારીમાં છે. આજે પણ સંસદ(Parliament) માં ડુંગળીના વધતા ભાવોને લઈને હોબાળો થયો. આ બાજુ મોંઘી ડુંગળીનો માર ઝેલી રહેલી જનતાના જખમો પર સરકારના મંત્રીઓ મીઠું ભભરાવી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 


Maharashtra: શિવસેનામાં ઉકળતો ચરુ, 400 શિવસેનિકો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ડુંગળીના ભાવને લઈને બુધવારે સંસદમાં જ્યારે હોબાળો મચ્યો અને સવાલ ઉઠ્યા તો જવાબ આપવાનો મોરચો ખુદ દેશના નાણામંત્રીએ સંભાળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અંગે સંસદમાં જાણકારી આપી પરંતુ આ બધા વચ્ચે એક સભ્યએ તેમના પર કટાક્ષ કર્યો તો નાણામંત્રીએ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું કે બધા ચોંકી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં ડુંગળી સાથે બહુ કોઈ નાતો નથી. તેમણે કહ્યું કે તેઓ ડુંગળી લસણ બહુ ખાતા નથી. 


ઉન્નાવ: 90% દાઝી ગયેલી દુષ્કર્મ પીડિતાએ એક કિમી સુધી ચાલીને લગાવી હતી મદદ માટે ગુહાર


વાત જાણે એમ છે કે નાણા મંત્રી મહારાષ્ટ્રના બારામતીથી એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના સવાલોના જવાબ આપવા માટે ઊભા થયા હતાં. તે સમયે કેટલાક સભ્યોએ સવાલ કર્યો કે શું તમે ડુંગળી ખાઓ છો તો તેમણે આ જવાબ આપ્યો હતો. આ અગાઉ એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એનપીએ અને ડુંગળી ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube