નવી દિલ્હી: પ્રકૃતિના દરેક કાર્ય પાછળ એક યોજના હોય છે. ખાસ કરીને પ્રાકૃતિ શક્તિઓની ઉપાસના કરનારા ભારતમાં માતા પ્રકૃતિ (Mother Nature) જો કોઈ પણ કેર લાવે છે તો તેની પાછળ પણ કારણ હોય છે. આજે કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે પરંતુ ભારતમાં તેનો પ્રભાવ સાવ ઓછો જોવા મળી રહ્યો છે. તેની પાછળ પણ કુદરતની યોજના જ છે. જેણે એક બીમારીની રસીને બીજી બીમારી સામે પ્રભાવી કરી નાખી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના સંક્રમણ સમગ્ર દુનિયામાં ઓછું
આજે ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા એક લાખ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 3700થી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પરંતુ સત્ય એ પણ છે કે ભારતમાં કોરોનાના ચેપનો દર પ્રતિ વ્યક્તિ દર સૌથી ઓછો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસની ટકાવારી 7.1 ટકા પ્રતિ લાખ છે. જ્યારે વિશ્વમાં કોવિડ 19ના આંકડાનો દર પ્રતિ લાખ 60 દર્દી છે. તેનો અર્થ એ થયો કે ભારતમાં એક લાખ લોકોમાં માત્ર 7 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જ્યારે દુનિયામાં એક લાખ લોકો પર 60 લોકો કોરોનાના દર્દી જોવા મળી રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube