નવી દિલ્હી: ચીનના મુદ્દે કોંગ્રેસ જ્યાં મોદી સરકારને ઘેરી રહી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા ડોનેટ કરવામાં આવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંકટમાં લોકોની મદદ કરવા માટે બનેલા PMNRF, યુપીએના કાર્યકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા દાન કરી રહ્યું હતું. પીએમએનઆરએફ બોર્ડમાં કોણ છે? સોનિયા ગાંધી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની અધ્યક્ષતા કોણ કરે છે? સોનિયા ગાંધી. આ સંપૂર્ણ રીતે નિંદનીય છે, નૈતિકતાની અવગણના કરનારું છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube