મુંબઇ: નાંદેડથી ભાજપ (BJP) સાંસદ પ્રતાપરાવે એનસીપી (NCP) નેતા અજિત પવાર (Ajit Pawar)ને મળવા પહોંચ્યા છે.  ઉદ્ધવ સરકાર દ્વારા શનિવારે બપોરે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના થોડા કલાકો પહેલાં જ મુલાકાત થઇ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાકાત બાદ અજિત પવારે (Ajit Pawar) કહ્યું આ એક સદિચ્છા ભેટ હતી. રાજકારણમાં આવી મુલાકાતો થતી રહે છે. મને ઘણી પાર્ટીઓના નેતા મળે છે. તમને જણાવી દઇએ કે ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની ચૂંટણી, વિરોધ નેતાની જાહેરાત અને રાજ્યપાલના અભિભાષણ માટે મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)-કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોનો દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે.


શું થશે આજે વિધાનસભામાં?
શનિવારે બપોરે બે વાગે વિધાનસભા સદનની કાર્યવાહી શરૂ થશે. સદનમાં સૌથી પહેલાં પ્રોટેમ સ્પીકરના નામની જાહેરાત થશે. પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટમાં શપથ લઇ ચુકેલા નવા મંત્રીઓના પહેલા સદનમાં પરિચય કરાવવામાં આવશે.


ત્યારબાદ શનિવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) શિવસેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું સદનમાં વિશ્વાસ મત રાખશે. નવા પ્રોટેમ સ્પીકરની અધ્યક્ષતામાં વિધાનસભાના સદનમાં શિવસેના સરકારના વિશ્વાસ મત વોટીંગ થશે. આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભા સદનમાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube